હાઈકોર્ટમાં કંપનીએ શું દલીલ કરી હતી?
CMRLના મેનેજિંગ ડિરેક્ટર એસ.એન. શશિધરન કાર્થા અને અન્ય ટોચના અધિકારીઓએ કેરલમ હાઈકોર્ટમાં અરજી કરીને ED દ્વારા દાખલ કરાયેલી ECIR અને સમન્સને રદ કરવા માંગ કરી હતી. તેમની મુખ્ય દલીલો હતી કે, આ મામલામાં PMLA હેઠળ કોઈ ગુનો બનતો નથી. કેન્દ્ર સરકારની ગંભીર નાણા વિરોધી છેતરપિંડી તપાસ કચેરી (SFIO) ઓલરેડી આની તપાસ કરી રહી છે, તેથી EDની દખલ બિનજરૂરી છે.
કોર્ટનો આદેશ
જસ્ટિસ ટી.આર. રવિની બેન્ચે આ તમામ દલીલોને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે EDને કોઈપણ ઔપચારિક FIR વિના પણ પૂછપરછ કરવાનો અને સમન્સ જારી કરવાનો પૂરો અધિકાર છે. અદાલતે એમ પણ માન્યું કે SFIO અને ED બંને એજન્સીઓની તપાસનો વ્યાપ અને હેતુ તદ્દન અલગ-અલગ છે. આ હાઈકોર્ટના ચુકાદા બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને તેમના પરિવારની મુશ્કેલીઓમાં મોટો વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે.